القرآن الكريم المصحف الإلكتروني إذاعات القرآن صوتيات القرآن البطاقات الإسلامية فهرس الموقع

સ. ૯ સૂરે કુરેશ પઢો અને તેની તફસીર કરો?

જ. સૂરે કુરેશ અને તેની તફસીર :

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَـٰنِ ٱلرَّحِمِ

﴿لِإِيلَافِ قُرَيْش1૧) કારણકે કુરૈશના લોકો આદી હતા. إِيلَافِهِمْ رِحْلَةَ الشِّتَاءِ وَالصَّيْفِ 2

૨) (એટલે કે) તેમને શિયાળા અને ઉનાળામાં (વેપાર કરવા માટે) સફરથી ટેવાઇ ગયા હતા. فَلْيَعْبُدُوا رَبَّ هَذَا الْبَيْتِ 3

૩) બસ ! તેમણે તે ઘરના માલિકની જ ઈબાદત કરવી જોઈએ. الَّذِي أَطْعَمَهُمْ مِنْ جُوعٍ وَآمَنَهُمْ مِنْ خَوْفٍ 4﴾

૪) જેણે તેમને ભુખમરામાં ખવડાવ્યું, અને તેમને ભયથી બચાવી અમન અને શાંતિ આપી. સૂરે કુરેશ : ૧-

તફસીર :

لِإِيلَافِ قُرَيْشٍ અર્થાત તેઓ ગરમી અને ઠંડીના મોસમમાં વેપાર માટે સફર કરવાના આદી બની ગયા છે.

إِيلَافِهِمْ رِحْلَةَ الشِّتَاءِ وَالصَّيْفِ ઠંડીના મોસમમાં યમન શહેર તરફ અને ગરમીના મૌસમમાં શામ શહેર તરફ.

فَلْيَعْبُدُوا رَبَّ هَذَا الْبَيْتِ બસ ! તમે બૈતે હરામના એક અલ્લાહની ઈબાદત કરો, જે તમને સફરથી તમને ખુશ કરી દે છે, અને તેની સાથે કોઈને પણ ભાગીદાર ન ઠેરવો.

الَّذِي أَطْعَمَهُمْ مِنْ جُوعٍ وَآمَنَهُمْ مِنْ خَوْفٍ જેણે તમને ભૂખના સમયે ખવડાવ્યું અને ભયના સમયે શાંતિ ઉતારી, અરબના લોકોના દિલમાં બૈતે હરામની પ્રતિષ્ઠા અને ત્યાંના રહેવાસીઓની પ્રીતિષ્ઠતાના કારણે.