القرآن الكريم المصحف الإلكتروني إذاعات القرآن صوتيات القرآن البطاقات الإسلامية فهرس الموقع

સ ૩૭: શું ઈમાનમાં વધ ઘટ થાય છે?

જ- આજ્ઞાપાલન કરવાથી ઈમાનમાં વધારો થાય છે અને ગુનાહનાં કામ કરવાથી ઈમાનમાં ઘટાડો થાય છે.

અલ્લાહ તઆલા કહે છે : {સાચા મોમિન તો એ લોકો છે કે જ્યારે તેમની સામે અલ્લાહ તઆલાના નામનો ઝિકર કરવામાં આવે તો તેઓના હૃદય ધ્રુજી ઉઠે છે અને જ્યારે અલ્લાહ તઆલાની આયતો તેમની સમક્ષ પઢી સંભળાવવામાં આવે છે તો તેઓના ઈમાન વધી જાય છે અને તે લોકો પોતાના પાલનહાર પર ભરોસો કરે છે.૨} [સૂરે અલ્ અન્ફાલ: ૨].