English Français Español Русский العربية português हिन्दी বাংলা اردو More languages▾ Site Index

શું એ સાચું નથી કે પ્રાણીઓને ખાવા માટે કતલ કરવામાં આવે છે, તેમાં પણ મનુષ્ય જેવી આત્મા હોય છે?

પ્રાણીની રુહ અને માણસની રુહમાં મોટો તફાવત છે, પ્રાણીની રુહ શરીરની ગતિશીલ શક્તિ છે; એકવાર તે મૃત્યુ દ્વારા જુદી થઈ જાય છે, તો તે એક નિર્જીવ શરીર બની જાય છે, જે જીવનનો એક પ્રકાર છે. છોડ અને વૃક્ષો પણ એક પ્રકારનું જીવન ધરાવે છે પણ તેને આત્મા કહેવાય નહીં; તેના બદલે, તેને જીવન કહેવામાં આવે છે જે પાણી દ્વારા તેના ભાગોમાં વહે છે જેના વિના તે સુકાઈ જાય છે અને પડી જાય છે.

"અને દરેક જીવિત વસ્તુનું સર્જન અમે પાણી વડે કર્યું, છતાં પણ આ લોકો ઈમાન નથી લાવતા" [૨૭૬]. (અલ્ અંબિયા: ૩૦).

પરંતુ તે માનવ આત્મા જેવું નથી કે જે સન્માન અને ઇઝ્ઝતના હેતુ માટે પાલનહારને આભારી છે, અને તેના સ્વભાવને પાલનહાર સિવાય કોઈ જાણતું નથી અને તે ફક્ત માણસ માટે વિશિષ્ટ છે. માણસની રુહ એક ઇલાહી બાબત છે અને તેણે તેના સાચા તત્વને સમજવાની જરૂર નથી, તે બૌદ્ધિક બળ (મન), ધારણા, જ્ઞાન અને વિશ્વાસ સાથે શરીરની ગતિશીલ શક્તિનું સંયોજન છે અને આ જ તેને પ્રાણીઓના આત્માથી અલગ બનાવે છે.

PDF