English Français Español Русский العربية português हिन्दी বাংলা اردو More languages▾ Site Index

જો અલ્લાહ ઇસ્લામ પ્રમાણે પોતાના બંદાઓ (ઉપાસકો) સાથે મોહબ્બત કરે છે, તો તેમને વ્યક્તિગત પદ્ધતિ પડતી અપનાવવાની પરવાનગી કેમ નથી આપતો? વ્યક્તિવાદીઓ વ્યક્તિના હિતોના સંરક્ષણને મૂળભૂત મુદ્દા તરીકે માને છે, જે રાજ્ય અને જૂથોની વિચારધારણાઓથી ઉપર પ્રાપ્ત થવી જોઈએ, જ્યારે સમાજ અથવા સરકાર જેવી સંસ્થાઓ દ્વારા વ્યક્તિના હિત પર કોઈપણ બાહ્ય હસ્તક્ષેપનો વિરોધ કરે છે.

કુરઆનમાં ઘણી આયતો છે જેમાં અલ્લાહની દયા અને તેના બંદાઓ માટે તેની મોહબ્બતનો ઉલ્લેખ કરવામાં આવ્યી છે, જો કે, અલ્લાહ સર્વશક્તિમાનની તેના બંદાઓ સાથે મોહબ્બત બંદાઓની એકબીજા સાથે જે મોહબ્બત હોઈ છે તેના કરતા અલગ છે, કારણકે મોહબ્બત માનવીના ધોરણ અનુસાર એવી જરૂરત છે જે એક મોહબ્બત કરવાવાળાને જેની સાથે તે મોહબ્બત કરે છે તેને મળાવે છે, પરંતુ અલ્લાહ જે સર્વશક્તિમાન છે તેને આપણી જરૂર નથી, આપણા માટે તેની મોહબ્બત તેની દયા અને કૃપાની છે, એક શક્તિવાળાની એક કમજોર માટે મોહબ્બત, એક અમીરની ગરીબ માટે મોહબ્બત, એક કુદરત ધરાવનારની એક લાચાર માટે મોહબ્બત, એક મોટાની એક નાના સાથે મોહબ્બત, અને હિકમતની મોહબ્બત.

શું આપણે આપણા બાળકોને તેમના પ્રત્યેની મોહબ્બતના બહાને તેઓને ગમે તે કરવા દઈએ છીએ? શું આપણે આપણા નાના બાળકોને પોતાના પ્રેમના બહાને ઘરની બારીમાંથી બહાર ફેંકી દેવા કે ખુલ્લા વીજ વાયર સાથે રમવાની છૂટ આપીએ છીએ?

વ્યક્તિના નિર્ણયો તેના અંગત લાભ અને આનંદ પર આધારિત હોય અને ચિંતાનું મુખ્ય કેન્દ્ર હોય, અને દેશની વિચારણાઓ અને સમાજ અને ધર્મના પ્રભાવોથી ઉપરના પોતાના અંગત હિતોને હાંસલ કરે તે શક્ય નથી, અને તેને મંજૂરી આપવી. તેનું લિંગ બદલવુ, તેને જે ગમતું હોય તે કરવા દેવું, પોશાક પહેરવા અને તે ઇચ્છે તે રીતે કાર્ય કરવા, આ બહાના હેઠળ કે રસ્તો દરેક માટે છે.

જો કોઈ વ્યક્તિ સમાન વહેંચાયેલ ઘરમાં લોકોના જૂથ સાથે રહે છે, તો શું તે આ વિચારને સ્વીકારી શકે છે કે તેનો કોઈ પણ ઘરનો સાથી કંઈક ઘૃણાસ્પદ કરે, જેમ કે લિવિંગ રૂમમાં પ્રકૃતિની હાકલનો જવાબ આપવો, ઘર તે બધાનું છે તેવી દલીલ કરી શકે છે? શું તે એવા ઘરમાં રહેવાનું સ્વીકારી શકે છે, જ્યાં કોઈ નિયમ અથવા સિસ્ટમ ન હોય? સંપૂર્ણ સ્વતંત્રતા ધરાવનાર વ્યક્તિ એક કદરૂપું પ્રાણી બની જાય છે, અને તે આ સ્વતંત્રતા સહન કરવામાં અસમર્થ છે તે કોઈ શંકા વગર સાબિત થયું છે.

એકલપણું એ સામૂહિક ઓળખનો વિકલ્પ હોઈ શકે નહીં, પછી ભલે તે વ્યક્તિ ગમે તેટલી મજબૂત અથવા પ્રભાવશાળી હોય. સમાજના સભ્યો એવા વર્ગો છે, જે ફક્ત એકબીજા માટે યોગ્ય હોય, અને તેઓ એકબીજા માટે અનિવાર્ય હોય. તેમાં સૈનિકો, ડોકટરો, નર્સો અને ન્યાયાધીશો છે, તો તેમાંથી કોઈ કેવી રીતે તેના અંગત લાભ અને હિત માટે અન્ય લોકો પર પ્રભુત્વ મેળવી શકે છે, અને ધ્યાનનું મુખ્ય કેન્દ્ર બની શકે?

પોતાની વૃત્તિને સંપૂર્ણ લગામ આપીને, વ્યક્તિ આવી વૃત્તિનો ગુલામ બની જાય છે; જો કે, અલ્લાહ ઇચ્છે છે કે તે તેની પોતાની વૃત્તિનો માસ્ટર બને. અલ્લાહ ઇચ્છે છે કે માણસ તર્કસંગત અને જ્ઞાની બને અને તેની વૃત્તિને દબાવ્યા વિના તેને કેવી રીતે નિયંત્રિત કરવી તે જાણતો હોય; તેના બદલે, તેમના આત્માને પ્રોત્સાહિત કરવા અને તેમના સ્વને ઉન્નત કરવા માટે તેમને નિર્દેશન.

જ્યારે પિતા પોતાના બાળકોને અભ્યાસ માટે થોડો સમય ફાળવવા માટે બહાર મોકલે છે, જેથી તેઓ ભવિષ્યમાં વૈજ્ઞાનિક પદ પ્રાપ્ત કરી શકે, તેમની માત્ર રમવાની ઇચ્છા સાથે, શું તે આ ક્ષણે ક્રૂર પિતા ગણાય?

PDF