English Français Español Русский العربية português हिन्दी বাংলা اردو More languages▾ Site Index

શા માટે માનવીના સાચા દીનને સાયન્સ વડે બદલવું યોગ્ય નથી?

આપણા સમયમાં ઘણા લોકો માનતા હતા કે પ્રકાશ સમયની બહાર છે, અને તે સ્વીકાર્યું ન હતું કે સર્જક સમય અને અવકાશના કાયદાને આધીન નથી. એ અર્થમાં કે સર્જક સર્વશક્તિમાન દરેક વસ્તુની પહેલા છે, અને દરેક વસ્તુ પછી છે, અને તે સર્જક સર્વશક્તિમાન પોતાના સર્જનીઓથી ઘેરાયેલા નથી.

ઘણા માનતા હતા કે જોડાયેલા કણો, જ્યારે એકબીજાથી અલગ થાય છે, ત્યારે તે જ સમયે એકબીજા સાથે જોડાયેલા રહે છે, અને તે વિચારને સ્વીકારતા નથી કે નિર્માતા, તેમના જ્ઞાન સાથે, તેમના સેવકો જ્યાં પણ જાય છે તેમની સાથે છે. અને બુદ્ધિને જોયા વગર તે બુદ્ધિનો સ્વીકાર કરે છે અને તેણે સર્જકને જોયા વિના તેને માનવાનો ઇન્કાર કરી દીધો.

ઘણા લોકો જન્નત અને જહન્નમ પર ઈમાન રાખવા બાબતે ઇન્કાર કરે છે, તેમ છતાં તેઓ અન્ય વિશ્વના અસ્તિત્વને સ્વીકારે છે જે તેઓ જોઈ શકતા નથી. ભૌતિક વિજ્ઞાન માણસને જાણ કરે છે કે તેણે મૃગજળની જેમ પ્રથમ સ્થાને અસ્તિત્વમાં ન હોય તેવી વસ્તુઓમાં વિશ્વાસ કરવો જોઈએ, અને તે ખરેખર તેમાં માને છે; જો કે મૃત્યુના સમયે ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર માનવજાતને કોઈ ફાયદો પહોંચાડશે નહીં કારણ કે તેઓએ તેમને બિન-અસ્તિત્વ સિવાય કશું જ વચન આપ્યું છે.

કોઈ પણ વ્યક્તિ લેખકના અસ્તિત્વને ફક્ત તેની પુસ્તકના ઇલમના કારણે નકારી નથી શકતો, તેઓ એકબીજાને બદલી શકતા નથી. વિજ્ઞાને બ્રહ્માંડના નિયમો શોધી કાઢ્યા પણ તે નક્કી કર્યા નથી, નિર્માતા તે છે જેની તેણે ગોઠવણી કરી છે.

કેટલાક મોમિનો ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં ઉચ્ચ ડિગ્રી ધરાવે છે; જો કે તેઓ જાણે છે કે આવા સાર્વત્રિક નિયમો પાછળ એક મહાન સર્જક છે, તેથી, ભૌતિક વિજ્ઞાન, જેમાં ભૌતિકવાદીઓ માને છે કે અલ્લાહએ બનાવેલા કાયદાઓ શોધી કાઢ્યા છે પરંતુ તેણે આવા કાયદાઓ પોતે બનાવ્યા નથી. અલ્લાહ દ્વારા બનાવવામાં આવેલા આવા કાયદા વિના વૈજ્ઞાનિકો અભ્યાસ કરવા માટે કંઈ શોધી શકતા નથી, જ્યારે કે ઈમાન મોમિનોને આ દુન્યવી જીવનમાં અને આખિરતમાં લાભ આપે છે, કારણ કે સાર્વત્રિક નિયમો વિશે જાણવા અને શીખવાથી તેમના સર્જકમાં તેમની શ્રદ્ધા વધે છે.

જ્યારે ગંભીર ફ્લૂ અથવા તાવ આવે છે, ત્યારે વ્યક્તિ પોતાને એક કપ પાણી પણ પીવા માટે મેળવી શકતો નથી, તેથી, તે તેના સર્જક સાથેના તેના સંબંધને કેવી રીતે દૂર કરી શકે?

વિજ્ઞાન સતત બદલાતું રહે છે, અને માત્ર વિજ્ઞાનમાં સંપૂર્ણ વિશ્વાસ રાખવો એ પોતે જ એક સમસ્યા છે કારણ કે તેમની નવી નવી શોધો અગાઉના સિદ્ધાંતોને રદ કરતી હોય છે. આપણે જેને વિજ્ઞાન તરીકે માનીએ છીએ તેમાંથી કેટલાક હજુ પણ સૈદ્ધાંતિક છે. જો આપણે એમ માની લઈએ કે શોધાયેલ તમામ વિજ્ઞાન પ્રસ્થાપિત અને સચોટ છે, તો પણ એક સમસ્યા રહે છે, કારણ કે વર્તમાન સમયમાં વિજ્ઞાન તમામ કીર્તિ શોધનારને આપે છે અને નિર્માતાની અવગણના કરે છે. ઉદાહરણ તરીકે, ચાલો ધારીએ કે કોઈ વ્યક્તિ રૂમમાં પ્રવેશે છે અને એક અત્યંત સુંદર પેઇન્ટિંગ જોવે છે, જે સંપૂર્ણ રીતે સુંદર દોરવામાં આવી છે, પછી તે લોકોને તેના વિશે જણાવવા માટે બહાર આવે છે, દરેક વ્યક્તિ પેઇન્ટિંગને કરનાર માણસની પ્રશંસા કરવા લાગે છે અને સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછવાનું ભૂલી જાય છે: "તે પેઈન્ટિંગ કોણે બનાવી છે?" લોકો આવું જ કરે છે, કારણ કે તેઓ પ્રકૃતિ અને અવકાશના નિયમોની વૈજ્ઞાનિક શોધોની ખૂબ પ્રશંસા કરે છે અને આવા કાયદાઓ બનાવનારની સર્જનાત્મકતા વિશે ભૂલી જાય છે.

ભૌતિક વિજ્ઞાન માણસને રોકેટ બનાવવામાં મદદ કરી શકે છે; જો કે તે તેને કલાત્મક પેઇન્ટિંગની સુંદરતાનું મૂલ્યાંકન નથી કરી શકતો, ઉદાહરણ તરીકે ન તો વસ્તુઓના મૂલ્યનો અંદાજ કાઢી શકે છે ન તો સારા અને ખરાબ વિષે બતાવી શકે છે. ભૌતિક વિજ્ઞાન આપણને જાણ કરે છે કે ગોળીઓ મારી નાખે છે, પરંતુ તે આપણને જાણ કરતું નથી કે અન્યને મારવામાં તેનો ઉપયોગ કરવો ખોટું છે.

પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું: "વિજ્ઞાન ક્યારેય અખલાક (નૈતિકતા) નો સ્ત્રોત બની શકે નહીં. તેમાં કોઈ શંકા નથી કે વિજ્ઞાન માટે નૈતિક પાયા છે; જો કે આપણે કહી શકીએ નહીં કે નૈતિકતા માટે વૈજ્ઞાનિક પાયા છે. હું નિષ્ફળ ગયો અને તમામ પ્રયાસો નિષ્ફળ ગયા, વિજ્ઞાનના કાયદા અને સમીકરણોને નૈતિકતાને વશ કરવામાં પણ નિષ્ફળ જશે".

પ્રખ્યાત જર્મન ફિલોસોફર ઈમેન્યુઅલ કાન્તે કહ્યું: "પાલનહારના અસ્તિત્વ પરના નૈતિક પુરાવા ન્યાયની આવશ્યકતાઓ અનુસાર સ્થાપિત થાય છે કારણ કે સારા માણસને બદલો (પુરસ્કાર) મળવો જોઈએ, અને દુષ્ટને સજા થવી જોઈએ, જ્યાં સુધી કોઈ શ્રેષ્ઠ સ્ત્રોત નહીં હોઈ ત્યાં સુધી આ બનશે નહીં, સ્ત્રોત કે જે માણસને તેના કાર્યો માટે જવાબદાર રાખે છે, પુરાવા પણ સદ્ગુણ અને સુખ વચ્ચે સંયોજનની સંભાવનાની જરૂરિયાતો અનુસાર સ્થાપિત કરવામાં આવે છે, કારણ કે તેઓ પ્રકૃતિની બહારની હાજરી સિવાય જોડી શકતા નથી, જે બધું જાણે છે અને સક્ષમ છે, દરેક વસ્તુનો આ શ્રેષ્ઠ સ્ત્રોત જે પ્રકૃતિની બહાર અસ્તિત્વ ધરાવે છે તે પલાનહારનું પ્રતિનિધિત્વ કરે છે".

PDF