English Français Español Русский العربية português हिन्दी বাংলা اردو More languages▾ Site Index

એક મુસલમાન તનાસુખે અરવાહ (આત્માઓનું સ્થળાંતર/ પુનર્જન્મ) ના અકીદાને કેમ માનતો નથી?

સૃષ્ટિની દરેક વસ્તુ સર્જકના અધિકારમાં છે, જે એકલો જ બધું જાણવા વાળો અને માલિક અને દરેક વસ્તુને પોતાની ઇચ્છા પ્રમાણે ચલાવવાની શક્તિ ધરાવે છે. સૃષ્ટિ શરૂઆતથી જ સૂર્ય, ગ્રહો અને આકાશગંગાઓ અત્યંત ચોકસાઈ સાથે કામ કરી રહ્યા છે અને આ ચોકસાઈ અને ક્ષમતા મનુષ્યના સર્જન પર લાગુ પડે છે. માનવ શરીર અને આત્માઓ વચ્ચે જે સંવાદિતા છે, તે બતાવે છે કે આ આત્માઓને પ્રાણીઓના શરીરમાં વસવાટ કરવો શક્ય નથી, (પુનર્જન્મ) ન તો છોડ અને જંતુઓમાં વસવાટ કરવો શક્ય છે, અને ન તો લોકોમાં. અને અલ્લાહએ માણસને તર્ક અને જ્ઞાનથી અલગ પાડ્યા અને તેને ધરતી પર ખલીફા બનાવ્યો, તેની તરફેણ કરી, તેનું સન્માન કર્યું અને અનેક જીવો ઉપર તેનું સ્થાન ઊંચું કર્યું. અને સર્જકની હિકમત અને ન્યાયથી કયામતના દિવસનું અસ્તિત્વ છે, જેમાં અલ્લાહ જીવોને સજીવન કરશે અને એકલો તેમનો ન્યાય કરશે, અને તેમનું ભાગ્ય જન્નત અથવા જહન્નમમાં હશે, અને તે દિવસે બધા સારા અને ખરાબ કાર્યોનું વજન કરવામાં આવશે.

બસ ! જેણે રજ બરાબર ભલાઇ કરી હશે, તે તેને જોઇ લેશે. (૭) અને જેણે કણ બરાબર પણ બુરાઈ કરી હશે તો તે તેને જોઈ લેશે.(૮) [અઝ્ ઝલ્ઝલહ : ૭-૮].

PDF