English Français Español Русский العربية português हिन्दी বাংলা اردو More languages▾ Site Index

આ દુનિયામાં જીવનનો મુખ્ય હેતુ શું છે?

જીવનનો મુખ્ય હેતુ ક્ષણિક સુખનો આનંદ માણવાનો નથી; તેના બદલે તે અલ્લાહની ઓળખ અને તેની ઈબાદત દ્વારા ઊંડી આંતરિક શાંતિ પ્રાપ્ત કરવાનો છે.

આ સાચો ધ્યેય પ્રાપ્ત કરવાથી શાશ્વત આનંદ અને સાચા સુખની પ્રાપ્તિ થશે. તેથી, જો આ અમારું પ્રાથમિક ધ્યેય છે, તો આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કોઈ પણ સમસ્યાઓ અથવા મુશ્કેલીઓનો સામનો કરવો તુચ્છ ગણાશે.

ચાલો એવી વ્યક્તિની કલ્પના કરીએ કે જેણે ક્યારેય કોઈ દુઃખ કે પીડાનો અનુભવ કર્યો નથી, આ વ્યક્તિ, તેના વૈભવી જીવનના કારણે પાલનહારને ભૂલી ગયો છે, અને તેથી તેનું સર્જન જે માટે કરવામાં આવ્યું છે, તેમાં તે નિષ્ફળ છે, આ વ્યક્તિની સરખામણી એવી વ્યક્તિ સાથે કરો કે જેણે કષ્ટ અને પીડાના અનુભવો જોયા હોય અને તે તેને પોતાના પાલનહાર તરફ લઈ ગયા છે, અને તે જીવનમાં તેનો હેતુ પણ સિદ્ધ કરી લીધો હોય. ઇસ્લામિક ઉપદેશોના પરિપ્રેક્ષ્યમાં, જે વ્યક્તિની વેદના તેને પાલનહાર તરફ દોરી જાય છે, તે વ્યક્તિ કરતાં વધુ સારી છે, જેણે ક્યારેય દુઃખ સહન કર્યું નથી અને જેની ખુશીઓ તેને તેનાથી દૂર લઈ ગઈ છે.

દરેક વ્યક્તિ આ જીવનમાં એક ધ્યેય હાંસલ કરવા માટે પ્રયત્ન કરે છે અને ઘણી વખત ધ્યેય તેની પાસે રહેલી માન્યતા પર આધારિત હોય છે. જે વસ્તુ આપણને ધર્મમાં મળે છે પણ વિજ્ઞાનમાં નથી મળતી, તે કારણે વાજબીપણું છે જેના માટે માણસ પ્રયત્ન કરે છે.

ધર્મ એ કારણને સ્પષ્ટ કરે છે કે જેના માટે માણસનું સર્જન થયું અને જીવન અસ્તિત્વમાં આવ્યું, જ્યારે વિજ્ઞાન એક સાધન છે અને તેની કોઈ હેતુ કે વ્યાખ્યા નથી.

ધર્મ અપનાવતી વખતે વ્યક્તિને સૌથી વધુ જે ડર લાગે છે તે જીવનના આનંદથી વંચિત રહેવાનો છે, લોકોમાં પ્રચલિત માન્યતા એ છે કે ધર્મનો અર્થ આવશ્યકપણે અલગતા છે, અને ધર્મે જે વસ્તુની મંજૂરી આપે છે ફક્ત તેના સિવાય બધું જ પ્રતિબંધિત છે.

આ એ જ ભૂલ છે, જે ઘણા લોકોએ કરી અને તેમને ધર્મથી વિમુખ કરી દીધા છે. ઇસ્લામિક ધર્મ, વિચારને સુધારવા માટે આવ્યો છે, જે એ છે કે મૂળ માણસ માટે કઈ વસ્તુ હલાલ અને માન્ય છે અને કઈ વસ્તુ હરામ અને અમાન્ય છે અને કોઈ તેની સાથે અસંમત નથી.

અને તે ધર્મ વ્યક્તિને સમાજના તમામ સભ્યો સાથે એકીકૃત થવા માટે કહે છે અને ભાવના અને શરીરની જરૂરિયાતો અને અન્યના અધિકારો વચ્ચે સંતુલન જાળવવાનું કહે છે.

ધર્મથી દૂર રહેલા સમાજો સામે સૌથી મોટો પડકાર એ હોય છે કે દુષ્ટ અને ખરાબ માનવ વર્તનનો સામનો કેવી રીતે કરવો જોઈએ, તમે વિચલિત લોકોને અટકાવવા માટે માત્ર સૌથી ગંભીર સજાઓ શોધી શકો છો.

"જીવન અને મૃત્યુ એટલા માટે બનાવ્યું કે તે તમારી કસોટી કરે કે તમારા માંથી સારું કાર્ય કોણ કરે છે" [૮૭]. (અલ્ મુલ્ક: ૨).

PDF