English Français Español Русский العربية português हिन्दी বাংলা اردو More languages▾ Site Index

સ. ૬ : શહાદતુ અન્ન મુહમ્મદર્ રસૂલુલ્લાહ નો અર્થ જણાવો?

જ. તેનો અર્થ થાય છે કે અલ્લાહ તઆલા મુહમ્મદને સમગ્ર સૃષ્ટિ માટે ખુશખબર આપનારા તેમજ ડરાવનારા બનાવી મોકલ્યા છે.

અને જરૂરી છે કે

૧. તે જે વસ્તુનો આદેશ આપે તેના પર અમલ કરવો જરૂરી છે.

૨. જે વસ્તુની જાણ આપે તેની પુષ્ટિ કરવી પણ જરૂરી છે.

૩. તેમની અવજ્ઞા કરવાથી બચવું પણ જરૂરી છે.

૪. શરીઅત પ્રમાણે અલ્લાહની બંદગી કરવી જરૂરી છે, અને તે સુન્નતનું અનુસરણ કરી અને બિદઅતને છોડીને થઇ શકે છે.

અલ્લાહ તઆલા કહે છે,

(જેણે રસૂલની ઇતાઅત કરી તેણે અલ્લાહની ઇતાઅત કરી...... ) (સૂરે નિસા : ૮૦)

અને અલ્લાહ તઆલા કહે છે : તે પોતાની ઈચ્છા પ્રમાણે કઈ પણ નથી કહેતા ૩ જે કઈ પણ તેઓ કહે છે તે તો વહી છે, જે તેમના પર ઉતારવામાં આવે છે. ૪ (સૂરે નજ્મ : ૩-૪ ). અને પ્રભુત્વશાળી અલ્લાહ કહે છે : (મુસલમાનો !) તમારા માટે અલ્લાહના રસૂલ (ની હસ્તીમાં) ઉત્તમ આદર્શ છે, જે કોઈ અલ્લાહ પર અને આખિરતના દિવસની આશા રાખતો હોય, અને જે અલ્લાહને વધુમાં વધુ યાદ કરતો હોય. ૨૧ (સૂરે અહઝાબ : ૨૧ )